Navratri Culture: આજે આપણે જાણીશું કે નવરાત્રીનાં નવ દિવસ માતાને કયા કયા પ્રસાદનો ભોગ લગાવવો જોઇએ. એવું કરવાંથી માતા તેમનાં ભક્તો પર ખાસ કૃપા વરસાવે છે અને દુખોનું નિવારણ કરે છે.
Navratri Poojan: નવરાત્રીનો પાવન તહેવાર 26 સપ્ટેમ્બર 2022 શરૂ થઇ ચુક્યો છે.
અને તેનું સમાપન 05 ઓક્ટોબરનાં વિજ્યાદશમીનાં દિવસે થશે. હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે આ નવ દિવસમાં માતા દુર્ગા નવ અલગ અલગ રૂપમાં તેમનાં ભક્તો પર કૃપા વરસાવે છે.
શું આપ જાણો છો કે, નવરાત્રીનાં નવ દિવસ દરમિયાન માતા દુર્ગાને પૂજામાં કઇ કઇ વસ્તુઓનો ભોગ લગાવવાથી માતાનાં આશીર્વાદ ઘર પરિવાર પર આવે છે.
મા શૈલપુત્રી-
નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે.
ગાયના ઘીમાંથી બનેલી વસ્તુઓ માતાને અર્પણ કરવાથી શુભ ફળ મળે છે.
આમ કરવાથી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.
મા બ્રહ્મચારિણી-
નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે.
આ દિવસે માતાને સાકર અને પંચામૃત અર્પણ કરીને માતા પ્રસન્ન થાય છે અને ભક્તોને લાંબા આયુષ્યના આશીર્વાદ આપે છે.
મા ચંદ્રઘંટા-
નવરાત્રિના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે.
આ દિવસે માતાને દૂધથી બનેલી મીઠાઈ અને ખીર અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી ભક્તોની કીર્તિ રાત-દિવસ વધે છે.
મા કુષ્માંડાઃ–
નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે.
આ દિવસે માતાને પ્રસાદ તરીકે માલપુસ અર્પણ કરવો જોઈએ. આમ કરવાથી મનનો વિકાસ થાય છે અને મનમાં અર્થપૂર્ણ વિચારો આવે છે.
મા સ્કંદમાતા-
નવરાત્રિના પાંચમા દિવસનું નામ સ્કંદમાતા રાખવામાં આવ્યું છે.
માતા સ્કંદમાતાને કેળા અર્પણ કરવાથી ભક્તોના રોગો દૂર થાય છે.